Home> India
Advertisement
Prev
Next

UPમાં યોગી સરકાર આકરા પાણીએ, 12 ઉપદ્રવીઓની ઓળખ કરીને પૈસા ભરવાની નોટિસ ફટકારી

ગોરખપુરમાં હિંસા કરનારા અનેક ઉપદ્રવીઓની ઓળખ થઈ રહી છે. પોલીસે આવા લોકોની તસવીરો પણ બહાર પાડી છે અને તેમના અંગે જાણકારી માંગી છે. આ ઉપદ્રવીઓની જાણકારી આપનારા લોકોને સરકાર તરફથી ઈનામ પણ અપાશે. 

UPમાં યોગી સરકાર આકરા પાણીએ, 12 ઉપદ્રવીઓની ઓળખ કરીને પૈસા ભરવાની નોટિસ ફટકારી

લખનઉ: નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) વિરુદ્ધ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં હિંસક પ્રદર્શન થયા છે. યુપીમાં હિંસાને લઈને ડીજીપી ઓ પી સિંહને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) આજે તલબ કર્યા હતાં. ત્યારબાદ ડીજીપી ઓ પી સિંહ તેમને મળવા પહોંચ્યા. તેમણે સીએમ યોગીને હિંસાને લઈને અપડેટ આપ્યાં. આ બાજુ લખનઉ (Lucknow) હિંસા મામલે પોલીસે એક લાખ 25 હજારની નોટિસ પણ મોકલી છે. લગભગ એક ડઝન જેટલા હિંસા આચરનારા લોકોના ઘરે આ પ્રકારે નોટિસ ફટકારવામાં આવી છે. તમામ લોકોને 1,25,000 રૂપિયાની નોટિસ મોકલવામાં આવી છે. યુપી સરકાર ઉપદ્રવીઓની ઓળખ કરીને નોટિસ મોકલી રહી છે. 

CAAના વિરોધમાં હવે RJDનું બિહાર બંધનું એલાન, દરભંગામાં ટ્રેન રોકી, પટણામાં ચક્કાજામ

ગોરખપુરમાં હિંસા કરનારા અનેક ઉપદ્રવીઓની ઓળખ થઈ રહી છે. પોલીસે આવા લોકોની તસવીરો પણ બહાર પાડી છે અને તેમના અંગે જાણકારી માંગી છે. આ ઉપદ્રવીઓની જાણકારી આપનારા લોકોને સરકાર તરફથી ઈનામ પણ અપાશે. 

આ બાજુ લખનઉમાં હિંસા કરનારા ઉપદ્રવીઓમાંથી કેટલાક બંગાળી ભાષામાં વાત કરી રહ્યાં હતાં. પોલીસના મળેલા સીસીટીવી ફૂટેજમાંથી આ ખુલાસો થયો છે. લખનઉ હિંસાના બંગાળ કનેક્શન નીકળતા ચોંકી ગયેલી લખનઉ પોલીસ હાલ તપાસમાં લાગી છે. 

કેન્દ્રીય મંત્રીમંડળની આજે મહત્વની બેઠક, CAAના વિરોધ પર થઈ શકે ચર્ચા, UPમાં મૃત્યુઆંક 11 થયો

યુપીમાં હિંસાથી અત્યાર સુધીમાં 11ના મોત
યુપીમાં નાગરિકતા કાયદાના વિરોધમાં થયેલા પ્રદર્શનો દરમિયાન થયેલી હિંસાના કારણે 11 લોકોએ અત્યાર સુધી જીવ ગુમાવ્યાં છે. પ્રદેશમાં આજે પણ તમામ શાળાઓ અને કોલેજો બંધ રાખવાના આદેશ અપાયા છે. 

આ VIDEO પણ ખાસ જુઓ...

દિલ્હીના દરિયાગંજમાં 10 ઉપદ્રવીઓની ધરપકડ
દિલ્હીના દરિયાગંજમાં શુક્રવારે  થયેલા હિંસક પ્રદર્શન મામલે પોલીસે આજે 10 લોકોની ધરપકડ કરી છે. શુક્રવારે દિલ્હીની જામા મસ્જિદમાં નાગરિકતા કાયદાને લઈને વિરોધ પ્રદર્શન થયું હતું. પ્રદર્શનકારીઓ જુમ્માની નમાજ બાદ જંતર મંતર સુધી માર્ચ કાઢવા માંગતા હતાં. જેને પોલીસે દિલ્હી ગેટ પર જ રોકી હતી. સાંજે પ્રદર્શનકારીએ દરિયાગંજ ડીસીપી ઓફિસની બહાર ઊભેલી ગાડીમાં આગચંપી કરી હતી. ઉપદ્રવીઓને ખદેડવા માટે પોલીસે પાણીનો મારો કરવો પડ્યો હતો. ત્યારબાદ થયેલી બબાલ પછી દરિયાગંજમાં ભારે સંખ્યામાં પોલીસકર્મીઓ તહેનાત કરાયા હતાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More